ઉત્તરાધિકારી તરીકે હટ્યા પછી આનંદે કહેલી વાત: પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભત્રીજાએ કહ્યું- તમે બહુજન સમાજ માટે એક આદર્શ છો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_090629_BSP.webp)
- 09 May, 2024
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન બુધવારે પૂર્ણ થયા બાદ હજી અન્ય તબક્કાઓનું મતદાન હાલ દેશમાં બાકી છે, એવામાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર કાર્યવાહી કરી સૌને ચોંકાવ્યા છે. માયાવતીએ આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદેથી હટાવી દીધા છે. હવે માયાવતીની આ કાર્યવાહીબાદ ભત્રીજા આકાશ આનંદની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. આકાશ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માયાવતીને ટેગ કરતા લખ્યું કે, આપકા હુકમ સર આંખો પર. માયાવતીએ મંગળવારે રાત્રે આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પદ પરથી દૂર કર્યા હતા.
આકાશ આનંદે માયાવતીને ટેગ કરતા X પર લખ્યું, 'આદરણીય બહેન માયાવતી, તમે સંપૂર્ણ બહુજન સમાજ માટે એક આદર્શ છો. કરોડો દેશવાસીઓ તમારી પૂજા કરે છે. તમારા સંઘર્ષને કારણે જ આજે આપણા સમાજને એક એવી રાજકીય તાકાત મળી છે જેના કારણે બહુજન સમાજ સન્માન સાથે જીવતા શીખી શક્યો છે. તમે અમારા સર્વમાન્ય નેતા છો. આપકા હુકમ સર આંખો પર. ભીમ મિશન અને આપણા સમાજ માટે હું અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. જય ભીમ, જય ભારત.' બસપા પ્રમુખ માયાવતીએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને હવે તેમને હટાવી દેવાનો આ ચોંકાવનારો નિર્ણય લીધો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ